Wednesday, 1 April 2015

તોરા ગોરા અંગ દઈ દે...ગોરી ચામડીનો મોહ રાખવો તેમાં ખોટું શું ?



શું ખરેખર ભારતીયો ગોરી ચામડી પાછળ ઘેલા છે ?.ભાજપના નેતા ગિરિરાજ સિંહે એક વિવાદીત નિવેદન કરીને આ ચર્ચાને ફરી જન્મ આપ્યો છે.ગિરિરાજ સિંહે કહ્યું કે જો રાજીવ ગાંધીએ કોઈ નાઈજીરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત અને તેમની વાઈફ (સોનિયા ગાંધી)નો વર્ણ ગોરો ન હોત તો શું કૉંગ્રેસના નેતાઓ એ વાઈફના નેતૃત્વમાં કામ કરવા તૈયાર થાત.વાત વિચારવા જેવી ખરી.ગિરિરાજ સિંહે ભલે વિવાદ વધ્યા બાદ પોતાના નિવેદન પર માફી માગી લીધી હોય પરંતુ તેમની વાતમાં તથ્ય તો રહેલું છે જ.આપણે સોનિયા ગાંધીની વાત જવા દઈએ અને ભારતીય માનસિકતાના મુદ્દા પર આવીયે તો બેશકપણે આપણે સૌએ સ્વીકારવું પડશે કે હા,અમને ગોરી ચામડી વધુ ગમે છે.દરેક પુરુષ એવું ઈચ્છે છે કે તેની પત્ની ગોરી હોવી જોઈએ અને દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેનો ભરથાર ગોરો એટલે કે હેન્ડસમ હોવો જોઈએ.( મળે ન મળે એ નસીબની વાત) જો કે, પોતાના જીવનસાથીની પસંદગી માટે ગોરી ચામડીની પ્રાયોરિટી રાખવી એ કોઈ ગુનો નથી.

જ્યારથી ભારતમાં સમાજ જીવનની શરૂઆત થઈ છે ત્યારથી ગૌર વર્ણ પ્રત્યે આસક્તિ જોવા મળી છે.તમે રામાયણ લઈ લો કે મહાભારત લઈ લો.મહાકવિ કાલિદાસનું કોઈ પણ સાહિત્ય લઈ લો.દરેકમાં જ્યારે જ્યારે પણ સ્ત્રીની સુંદરતાના વર્ણનની વાત આવી છે ત્યારે ત્યારે કવિઓ કહી ગયા છે કે દ્રોપદી,સીતા કે પાર્વતી અતિ સુંદર હતી.અને અતિ સુંદર એટલે ગોરી.માથાથી પગના નખ સુધી ગોરી.જરા દિલ મજબૂત કરીને વિચારો કે જો સીતા ગોરા ન હોત તો રામને ગમ્યા હોત ખરા ? પાર્વતી ગોરા ન હોત તો શિવજીએ તેમને ભાવ પણ આપ્યો ન હોત કે દ્રૌપદી ગોરા ન હોત તો પાંચ પાંડવોએ તો શું,ભીમ જેવા કદ્દાવર પુરુષે પણ દ્રૌપદીને વરમાળા પહેરાવી ન હોત.રૂપાળા રંગ પ્રત્યેની આવી ગાંડી ઘેલછા સમયાંતરે વધુ પ્રબળ બની.

ઘણા એવું કહેશે કે હવે આવું નથી રહ્યું.હવે તો શ્યામ વર્ણની સ્ત્રીઓ સાથે પણ લોકો પ્રેમ કરે છે અને લગ્ન પણ કરે છે.આવા લોકોની વાત સાચી છે પરંતુ આવા દાખલા કેટલા ?..માત્ર આંગળીના વેઢે ગણાય એટલા.શ્વેત વર્ણ પ્રત્યેનો પ્રેમ અને શ્યામ વર્ણ પ્રત્યેની સૂગ હોવા પાછળ પણ આપણો સમાજ જ જવાબદાર છે.કેમ કે આપણે ત્યા કાળા રંગને અશુભ માનવામાં આવે છે.કાળા કલરના કપડા લેતી વખતે પણ લોકો સો વખત વિચાર કરે છે.લગ્ન પ્રસંગોએ તો લોકો કાળા કલરના કપડા પહેરતા જ નથી.બની શકે કે કાળા વર્ણને લઈ વ્યાપ્ત સૂગ પાછળ આ કારણ પણ જવાબદાર હોય.મૂળ મુદ્દા પર પાછા ફરીયે તો મુખ્ય સવાલ એ છે કે વ્હાઈટ ચામડી પ્રત્યે મોહ હોવામાં ખોટું શું છે.ખુદ કૃષ્ણ ભગવાનને પણ એ વાત ગમતી ન હતી કે રાધા ક્યૂં ગોરી મેં ક્યૂં કાલા.દરેકને ખબર છે જ કે ગોરા રંગ પર ગુમાન કરવા જેવું નથી કેમ કે ગોરો રંગ બે દિવસમાં ઢળી જ જવાનો છે.છતા ગોરા રંગ પ્રત્યેની આશિકી આ દુનિયા રહેશે ત્યા સુધી યથાવત રહેશે.ગોરી ચામડી પ્રત્યે ભારતીયોના ગાંડપણનું વર્ણન હાલમાં જ આવેલી ફિલ્મ દમ લગા કે હૈસાના એક ગીતમાં સુંદર રીતે કરવામાં આવ્યું.

સુંદર સુશીલ થોડી સ્પેશિયલ ઢૂંઢેંગે..નોટ ટેમ્પરરી,પરમેનેન્ટ ઢૂંઢેંગે....
તા ના ના ના ના ના ના ના......................................

No comments:

Post a Comment