ઉત્તરપ્રદેશ.એક જમાનામાં હિંદુ સંસ્કૃત્તિનું કેદ્ર અને મુસ્લિમ તહેઝીબ માટે જાણીતું ઉત્તર પ્રદેશ આઝાદી બાદ રાજકીય સત્તાપ્રાપ્તિ માટેનો અખાડો બની ગયું છે.જેનું કારણ છે દેશમાં સૌથી વધુ 80 લોકસભા સીટ.ઈતિહાસ સાક્ષી છે કે આઝાદી બાદ દેશના વડા પ્રધાન બનનારા આઠ આઠ નેતાઓ ઉત્તરપ્રદેશનો હાથ પકડીને જ સત્તાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયા હતા.અને કદાચ એટલા માટે જ નરેદ્ર મોદી પણ અંદરખાને એવું ઈચ્છે છે કે તેઓ ઉત્તરપ્રદેશથી લોકસભા ચૂંટણી લડે.લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે સૌના મનમાં એ સવાલ પણ સળવળી રહ્યો છે કે મોદી ક્યાંથી લડશે?કોઈ કહે છે ગુજરાતથી લડશે.તો કોઈનું માનવું છે કે ઉત્તરપ્રદેશથી લડશે?પરંતુ જ્યા સુધી મોદીની વાત છે તો મોદીએ તો નક્કી કરી જ લીધું હશે કે તેમને ક્યાંથી લડવાનું છે.અત્યાર સુધીની મોદીની કાર્યશૈલીને ધ્યાનમાં લઈએ તો મોદી, ઉત્તરપ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળે તેવી શકયતા વધુ છે.તેનું કારણ છે ઉત્તરપ્રદેશનો ઈતિહાસ.જવાહર લાલ નેહરુ,લાલબહાદુર શાસ્ત્રી ,ઈન્દિરા ગાંધી,ચૌધરી ચરણસિંહ,રાજીવ ગાંધી,વિશ્વનાથ પ્રતાપ સિંહ,ચંદ્રશેખર અને અટલબિહારી વાજપેયી.આ છે દેશના 8 વડા પ્રધાનો..મહત્ત્વની વાત એ છે કે,આ આઠ વડા પ્રધાનનો નાતો કોઈને કોઈ રીતે તો ઉત્તરપ્રદેશ સાથે હતો જ.આમાંથી મોટા ભાગના ઉત્તરપ્રદેશનું ફરજંદ હતા એટલે કે ઉત્તરપ્રદેશમાં જન્મયા હતા.અને બાકીનાની રાજકીય કર્મભૂમિ ઉત્તરપ્રદેશ હતી.અત્યાર સુધી દેશે કુલ 13 વડા પ્રધાન જોયા.મનમોહન સિંહ 13માં વડા પ્રધાન છે.તેમાંથી 8 વડા પ્રધાન ઉત્તરપ્રદેશ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હોય એટલે સમજી શકાય છે કે ભારતની રાજનીતિમાં ઉત્તરપ્રદેશનું શું મહત્વ હશે.આ જ કારણે ઉત્તરપ્રદેશ મોદીની પહેલી પસંદગી છે.ઉત્તરપ્રદેશથી મોદીને ચૂંટણી લડવા માટે મજબૂર કરનારું અન્ય એક કારણ છે ત્યાની 80 લોકસભા સીટ.ભારતમાં સૌથી વધુ લોકસભા સીટ ધરાવતું રાજ્ય છે ઉત્તરપ્રદેશ..એટલે જ રાજનીતિના પાઠયપુસ્તકની એક જૂની કહેવત છે કે,દિલ્હી માટે સત્તાનો રસ્તો લખનૌ એટલે કે ઉત્તરપ્રદેશ થઈને જાય છે.મોદીની ઈચ્છા પણ લખનૌ થઈ દિલ્હી પહોંચવાની છે.ઉત્તરપ્રદેશથી મોદીના ચૂંટણી લડવાથી તમામ 80 બેઠકો પર અસર થશે.તો હવે સવાલ એ છે કે ગુજરાતનું શું થશે?મતલબ કે મોદી જો ગુજરાતથી ચૂંટણી ન લડે તો તેની નકારાત્મક અસરો ગુજરાતની તમામ 26 સીટ પર થવાનો ભય છે.આવી સ્થિતિમાં મોદી માટે એક જ વિકલ્પ બચ્યો છે, યુપી અને ગુજરાત એમ બન્ને જગ્યાએથી લોકસભા ચૂંટણી લડવી.એક વાસ્તવિકતા એ પણ છે કે જે આઠ વડા પ્રધાનોના ઉત્તરપ્રદેશ કનેક્શનની વાત આપણે કરી તેની સરખામણીએ મોદીને યુપી સાથે સાત પેઢી સુધી કોઈ સંબંધ નથી.કે ન તો યુપીમાં હાલ ભાજપનું પ્રદર્શન સારુ છે.હા, રામ મંદિર આંદોલન વખતે દેશમાં ભાજપને યુપીએ જ સૌથી વધુ આવકારી હતી..પરંતુ તે જમાનો હવે ચાલ્યો ગયો છે..અને ગુઝરા હુઆ જમાના વાપસ લાવવાની જવાબદારી હવે મોદી પર છે.તો શું કરશે મોદી?
No comments:
Post a Comment