Tuesday, 4 March 2014

યે દિલ તુમ બિન કહી લગતા નહીં














અત્યાર સુધી એવું કહેવાતું હતું કે સફળતા તેને જઈ વરે જે પરેસેવે નહાય..પરંતુ હવે આ કહેવતમાં થોડું પરિવર્તન આવી ગયું છે.આજના દંભી જમાનામાં આ કહેવત કંઈક એવી છે કે, સફળતા તેને જઈ વરે જે સફળ લોકોને વરે..એટલે કે સફળતા તેને જ મળે જે સફળ લોકોની સાથે હાથ મિલાવે.મુકેશ અંબાણીનું પણ કંઈક એવું જ છે.અત્યાર સુધી દેશમાં કોંગ્રેસનો દબદબો હતો તો મુકેશ અંબાણી કોંગ્રેસ સાથે હતા.અને હવે ભાજપની સરકાર બનવાના એંધાણ છે તો મુકેશ અંબાણી ભગવા રંગે રંગાઈ ગયા છે.


દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીએ કોંગ્રેસને સાયોનારા કહી ભાજપને ફ્રેન્ડ્સ રિકવેસ્ટ મોકલી છે.મતલબ કે છેલ્લા 10 વર્ષથી પંજા સાથે હાથ મિલાવનારા મુકેશ અંબાણી હવે ભાજપ સાથે દોસ્તી કરવાના મૂડમાં છે..એવા સમાચારો સામે આવ્યા છે કે એક સમયે જીગરજાન મિત્રો
 ગણાતા મુકેશ અંબાણી અને કોંગ્રેસના સંબંધો હવે એ હદે વણસી ગયા છે કે કોઈ ફેવીક્વિક પણ બન્નેના સંબંધો સાંધી નહિ શકે..વાસ્તવમાં સંબંધો બગડવાની શરૂઆત તો 2009થી જ થઈ ગઈ હતી..2009ની લોકસભા ચૂંટણી વખતે મુકેશ અંબાણીને એવી આશા હતી કે NDA જીતશે..પરંતુ થયું તેનાથી ઉલટું..મુકેશ અંબાણી અને કોંગ્રેસની દોસ્તીમાં સૌથી મોટું ભંગાણ પડયું 2011માં.કેમ કે 2011થી કોંગ્રેસને એવું લાગવા માંડયું કે મુકેશ અંબાણી હવે મોદીની નજીક સરકવા લાગ્યા છે.અને એ વાત થોડાક અંશે સાચી પણ હતી..કેમ કે 2011થી મુકેશ અંબાણી અને મોદી વચ્ચે ઘણી વખત અનૌપચારિક મુલાકાત થઈ અને વાતચીત થઈ.આ બન્નેની મુલાકાતોની તસવીરો પણ સમાચારપત્રોમાં છપાઈ..ઉપરાંત ઘણા કાર્યક્રમોમાં પણ મોદી સાથે મુકેશ અંબાણી હાજરી આપવા લાગ્યા.આ પાછળ મુકેશ અંબાણીનો છૂપો એજન્ડા હતો..2011થી મુકેશ અંબાણી મોદી તરફ એટલા માટે સરક્યાં કેમ કે તેમને એ સમયથી જ લાગવા માંડયું હતું કે 2014માં NDAની સરકાર બનશે..સમય જતા ભાજપે મોદીને વડા પ્રધાન પ્રદના ઉમેદવાર જાહેર કરતા મુકેશ અંબાણી મોદીની વધુ નજીક આવી ગયા..પીઠ પાછળ મુકેશભાઈના આવા કારનામાથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસને ખોટું લાગવા માંડયું..પરંતુ મુકેશ અંબાણીથી થતા આર્થિક લાભના કારણે કોંગ્રેસ આજ દિન સુધી તેમને અવગણી શકી નથી..અને લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યા સુધી હજુ પણ કોંગ્રેસ મુકેશ અંબાણીને એમ નહી કહી શકે કે હવે આપણા સંબંધો પૂરા થયા..કેમ કે ચૂંટણી વખતે મુકેશ અંબાણી પાસેથી ફંડની જરૂર પણ કોંગ્રેસને પડવાની છે..પરંતુ જાણકારોનું માનીયે તો મોદીની નજીક ગયા છે એટલે મુકેશ આ વખતે સૌથી વધુ ફંડ તો ભાજપને જ આપશે..જેનો સીધો લાભ અત્યારથી જ ભાજપને મળી રહ્યો છે..હા, મુકેશ અંબાણીની કથિત દોસ્તીના કારણે કેજરીવાલ જેવા નેતાઓ મોદીને આડેહાથ પણ લેતા રહ્યા છે..કેજરીવાલ છેલ્લા 15 દિવસથી વારંવાર મોદી અને મુકેશની દોસ્તીના દાવા કરી કરી દેશભરમાં પ્રચાર કરી રહ્યા છે...હવે જો મુકેશ અંબાણી સંપૂર્ણપણે મોદીને સમર્થન આપી દેશે તો કેજરીવાલને વધુ એક મુદ્દો મળી જશે..એટલે ભાજપ સામે આ પણ એક સમસ્યા હશે..જ્યા સુધી મુકેશ અંબાણીની વાત છે તો જેવી રીતે કેજરીવાલ કહી રહ્યા છે કે હાલ મોદીને હેલિકોપ્ટર આપનારા મુકેશભાઈ ચૂંટણી પછી જો મોદી વડા પ્રધાન બને તો ઘણા ઔદ્યોગિક લાભની આશા પણ રાખશે..અને આવું તો વર્ષોથી ચાલતું આવ્યું છે..ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ ભૂતકાળમાં પણ કોઈકને કોઈ રાજકીય પાર્ટી સાથે સંબંધ રાખતા રહ્યા છે..પરંતુ મુકેશ અંબાણીનું મોદી સમર્થિત રહેવું કોંગ્રેસ માટે જરૂર ચિંતાનો વિષય બન્યું છે..કેમ કે એક તો સાથી પક્ષો કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે અને જે બચ્યા છે તે પણ કયા સુધી સાથ આપે તેની કોઈ ગેરન્ટી નથી.આવી સ્થિતિમાં મુકેશ અંબાણી જેવા ધનકુબેર પણ ભાજપ સાથે વળશે તો પછી થઈ રહ્યું ભારત નિર્માણ.

1 comment:

  1. દોસ્ત...

    અભિનંદન અને વેલકમ... અપેક્ષા રાખુ છે કે આ 'અનઓફિસિયલ થોટ્સ'માં વિવિધ વિષયોનો ઓફિસયલ આસ્વાદ મળતો રહેશે...

    ReplyDelete